04 December, 2020 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
વરુણ ધવન, નીતુ સિંહ તથા ફિલ્મના ડિરેક્ટર રાજ મહેતા કોરોના પોઝિટિવ થયા છે. અનિલ કપૂર તથા કિઆરા અડવાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ફિલ્મના સેટ પર ત્રણ કોરોનાને કેસ આવતા ચંદીગઢમાં 'જુગ જુગ જિયો'નું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ ગયા મહિને ધનતેરસના દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું.
ફિલ્મની ટીમે વરુણ ધવન-નીતુ સિંહ તથા ડિરેક્ટરને કોરોના થયો હોય એવું ઓફિશિયલ કન્ફર્મ કર્યું નથી. જોકે ગઈકાલ સાંજે (3 ડિસેમ્બર) કોરોના રિપોર્ટ આવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ચર્ચા છે. ફિલ્મ સાથે જોડાયેલાં સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. હાલમાં શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે ફિલ્મની ટીમ ટૂંક સમયમાં આ અંગે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરશે.
'જુગ જુગ જિયો'માં નીતુ ઉપરાંત અનિલ કપૂર, વરુણ ધવન તથા કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ફિલ્મને 'ગુડ ન્યૂઝ' ફૅમ રાજ મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે. રિશી કપૂરના નિધન બાદ નીતુની આ પહેલી ફિલ્મ છે.