અન્ડરકવર એજન્ટ્સ ખરેખરા અનસંગ હીરો છે : કે. કે. મેનન

19 March, 2020 06:17 PM IST  |  Mumbai Desk | IANS

અન્ડરકવર એજન્ટ્સ ખરેખરા અનસંગ હીરો છે : કે. કે. મેનન

કે. કે. મેનન

કે. કે. મેનનનું કહેવું છે કે રિયલ લાઇફમાં જો કોઈ અનસંગ હીરો હોય તો એ છે ઇન્ડિયાના અન્ડરકવર એજન્ટ્સ. ‘હૉટસ્ટાર’ પર આવેલી ‘સ્પેશ્યલ ઑપ્સ’માં કે. કે. મેનને અન્ડરકવર ઑફિસર હિમ્મત સિંહનું પાત્ર ભજવ્યું છે. ઇન્ડિયામાં છેલ્લાં ૧૯ વર્ષથી થઈ રહેલા ટેરરિસ્ટ હુમલા પર આધારિત આ એક ફિક્શન શો છે જેમાં ૨૬/૧૧ના હુમલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નીરજ પાન્ડે અને શિવમ નાયર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા આઠ એપિસોડના શો વિશે વાત કરતાં કે. કે. મેનને કહ્યું હતું કે ‘૨૬/૧૧એ આપણા દેશને દરેક વ્યક્તિને હચમચાવી દીધી હતી. ઇન્ડિયન ઇન્ટેલિજન્સને ‘સ્પેશ્યલ ઑપ્સ’માં એકદમ યુનિક રીતે દેખાડવામાં આવ્યા છે. આજના સમયના ખરેખરા અનસંગ હીરો હોય તો એ ઇન્ડિયન અન્ડરકવર એજન્ટ્સ છે. આપણા દેશ પર થયેલા ઘણા હુમલાના માસ્ટર માઇન્ડને પકડવાનું કામ આ ઇન્ડિયન અન્ડરકવર એજન્ટ્સે કર્યું હતું અને તેમની સ્ટોરી સામે લાવવાનું કામ અમે કર્યું છે. તેઓ આપણા દેશ માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને આપણે તેમના ઋણી છીએ.’

bollywood bollywood news bollywood gossips kay kay menon