ઉદય ચોપડા અને નર્ગિસ ફખરી હજી છૂટા નથી પડ્યાં

27 October, 2014 05:33 AM IST  | 

ઉદય ચોપડા અને નર્ગિસ ફખરી હજી છૂટા નથી પડ્યાં

ઉદય ચોપડાએ લૉસ ઍન્જલસમાં પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યા પછી લાંબા અંતરને કારણે મુંબઈમાં રહેતી નર્ગિસ સાથે રિલેશનશિપ જાળવી રાખવી અઘરી હોવાનું જણાતાં બન્નેએ સંબંધ તોડ્યા હોવાની વાતો ઊડી હતી. ઉદય કમિટમેન્ટ પર ભાર મૂકતો હતો અને નર્ગિસ કરીઅર પર વધારે ફોકસ કરવા માગતી હતી. ઉદયે સોશ્યલ મીડિયા પર નર્ગિસ પ્રત્યે ઘણી લાગણી વરસાવી હતી, પરંતુ શુક્રવારે નર્ગિસને ઉદય ચોપડા, હૃતિક રોશન અને સિકંદર ખેર સાથે મોજમસ્તી કરતી જોઈને પ્રૅક્ટિકલ કારણોસર બન્ને જુદાં પડ્યાં હોવાની વાતો ખોટી સાબિત થઈ હતી. આ રિલેશનશિપ વિશે બન્નેના નજીકના એક સૂત્રે કહ્યું હતું કે ‘તેમના સંબંધો ઘડીક નજીક, ઘડીક દૂર ચાલતા હતા. વચ્ચે તેમણે લૉન્ગ ડિસ્ટન્સને કારણે છૂટાં પડવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેમણે મતભેદોને દૂર કરીને ફરી પાછાં ભેગાં થવાનું નક્કી કર્યું છે.’તાજેતરમાં કોલાબાના એક રેસ્ટો-બારમાં પહેલાં હૃતિક અને નર્ગિસને પ્રવેશતાં અને પછીથી ઉદયને તેમની સાથે જોડાતાં લોકોએ જોયાં હતાં. જોકે કૉમેન્ટ માટે નર્ગિસ અને ઉદયનો સંપર્ક શક્ય નહોતો બન્યો.