15 October, 2012 05:58 AM IST |
તાજેતરમાં વરલીમાં એક આર્ટ-શોમાં હાજરી આપવા આવેલાં જયાએ કહ્યું હતું કે ‘હું હવે આતુરતાથી દુર્ગાપૂજાની રાહ જોઈ રહી છું. જોકે એ પહેલાં મારે એક બ્રેક લેવો છે. હું થોડો સમય હિમાલય જઈને માત્ર મારી જાત સાથે થોડો સમય પસાર કરવા માગું છું. છેલ્લા ૧૦ દિવસ હું બહુ વ્યસ્ત હતી અને ઢગલાબંધ લોકોને મળી છું. મને એમાં બહુ મજા આવી હતી, પણ હવે હું મારી જાત સાથે થોડો સમય ગાળવા માગું છું.’
અમિતાભ બચ્ચનની બર્થ-ડે વિશે વિશે વાત કરતાં જયાએ કહ્યું હતું, ‘હું ઇચ્છું છું કે તેઓ હંમેશાં સ્વસ્થ રહે. મને તેમના સ્વાસ્થ્ય વિશેની ચિંતા સૌથી વધારે સતાવે છે. આખરે હેલ્થ ઇઝ વેલ્થ.’
વધુ વાંચો જયા બચ્ચન વિશે