વર્તમાનમાં વૃક્ષો ઉગાડવાની ખૂબ જરૂર છે - આદિત્ય રૉય કપૂર

02 March, 2020 12:32 PM IST  |  Mumbai Desk

વર્તમાનમાં વૃક્ષો ઉગાડવાની ખૂબ જરૂર છે - આદિત્ય રૉય કપૂર

વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખતાં આદિત્ય રૉય કપૂરે જણાવ્યું હતું કે સૌએ વૃક્ષો ઉગાડવા માટે આગળ આવવું જોઈએ. મુંબઈમાં એક સંસ્થા ‘એકસાથ-ધ અર્થ ફાઉન્ડેશન’ દ્વારા ટ્રી-પ્લાન્ટેશનનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એ દરમ્યાન આદિત્યએ કહ્યું હતું કે ‘હું મુંબઈમાં જ ઊછર્યો છું. એથી તમારા શહેર માટે યોગદાન આપવા તમે હંમેશાંથી તત્પર રહો છો. મને લાગે છે કે વર્તમાનમાં એની જરૂર છે. આપણને વધુ ઝાડની જરૂર છે, આપણને વધુ ઝાડના છાંયાની જરૂર છે. મોટાં શહેરોમાં કમ્યુનિટીની ખામી હોય છે. આનાથી એક કમ્યુનિટીની લાગણી નિર્માણ થાય છે. તમારે ક્યાંકથી તો શરૂઆત કરવાની રહેશે. આ એક પહેલ છે. જે પ્રકારનું આ કામ દેખાય છે એવું એ અઘરું નથી. ફ્રેન્ડ્સ સાથે મળીને કરી શકે એવું આ કામ છે.’

aditya roy kapur bollywood bollywood news bollywood gossips