30 March, 2020 02:42 PM IST | Mumbai Desk | PTI
દેશમાં લૉકડાઉન હોવાથી અજય દેવગનને લઈને બનાવવામાં આવનાર ચાણક્ય પરની ફિલ્મની ટીમ ફોન અથવા તો ઈ-મેઇલ દ્વારા ચર્ચા કરે છે. આ ફિલ્મને ‘બેબી’, ‘M S ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ બનાવનાર ડિરેક્ટર નીરજ પાન્ડે ડિરેક્ટ કરશે. ચન્દ્રગુપ્ત મૌર્યના સલાહકાર અને અર્થશાસ્ત્રી ચાણક્યના જીવનને દર્શાવવા માટે નીરજ પાન્ડે અને અજય દેવગન પહેલી વાર એકસાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે નીરજ પાન્ડેએ કહ્યું હતું કે આ ફિલ્મ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. ફિલ્મના દરેક પાસા પર ખાસ ચર્ચા કરવામાં આવી રહી છે. વિવિધ ડિપાર્ટમેન્ટ્સના હેડ્સ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, કન્સેપ્ટ્સ, કૉસ્ચ્યુમ, આર્ટ, પ્રોડક્શન ડિઝાઇનથી માંડીને લોકેશનના હેડ્સ સાથે સંપર્કમાં છે. અનેક બાબતો છે જેના પર અમારે ચર્ચા કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે સ્ક્રિપ્ટ અપ્રોચ કરવી અને એની પસંદગી. સાથે જ હજી તો ઢગલાબંધ કામ પણ બાકી છે.