હું પોસ્ટર પર સારી નહીં દેખાઉં એવું મેકર્સ કહેતા હતા : નુસરત ભરૂચા

15 May, 2023 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની કરીઅરની શરૂઆત તેણે ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી કરી હતી.

નુસરત ભરૂચા

નુસરત ભરૂચાનું કહેવું છે કે મેકર્સ તેને કહેતા હતા કે તે પોસ્ટર પર સારી નહીં દેખાય. પોતાની કરીઅરની શરૂઆત તેણે ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી કરી હતી. ત્યાર બાદ તેણે ‘પ્યાર કા પંચનામા 2’, ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ અને ‘છોરી’માં કામ કર્યું હતું. હવે તે પૅન-ઇન્ડિયા ફિલ્મ ‘છત્રપતિ’માં દેખાવાની છે. નવા લોકો સાથે કામ કરવું ગમે છે એવું જણાવતાં નુસરતે કહ્યું કે ‘મને એવું કહેવામાં આવતું હતું કે હું પોસ્ટર પર સારી નહીં દેખાઉં વિચારો કે તેઓ ફિલ્મ બનાવવાના છે કે પોસ્ટર બનાવવાના છે? માત્ર પોસ્ટરથી તમે ફિલ્મ વેચી નહીં શકો. આવી અનેક વાતો મને કહેવામાં આવતી હતી. આ જ કારણ છે કે મને નવા લોકો સાથે કામ કરવું ગમે છે. તેમણે ‘પ્યાર કા પંચનામા’, ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ જેવી ફિલ્મો બનાવી અને એ સારી ચાલી. મારું એવું માનવું છે કે જો તમારું કામ સારું હશે તો આવી બધી માન્યતાઓને તમે તોડી શકશો.’

entertainment news bollywood news bollywood gossips bollywood nushrat bharucha