મહામારીને કારણે લોકો એક બીજા પર આધાર રાખતા થયા છે : અનુષ્કા શર્મા

09 July, 2020 12:50 PM IST  |  Mumbai | Agencies

મહામારીને કારણે લોકો એક બીજા પર આધાર રાખતા થયા છે : અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માનું કહેવુ છે કે કોરોના વાઇરસને કારણે લોકો એક બીજા પર આધાર રાખતા થયા છે. લોકો એક બીજા સાથે જોડાઈને પડખે ઊભા રહે છે. એ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ મહામારીને કારણે એક બાબત શીખવા મળી છે કે આપણે બધા એક બીજા પર આધાર રાખતા થયા છીએ. આપણી વચ્ચે જે પણ કનેક્શન છે, એ ખેડૂતથી માંડીને મોટા ઓર્ગેનાઇઝેશનનાં મોટા અધિકારીઓ સાથે જોડાયેલુ છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારે એક બીજા સાથે જોડાયેલા હોય જ છે. કોઈ એકનું કામ અન્યના પર અસર પાડે છે. આ એક બટરફ્લાય જેવી અસર છે. મને એવુ લાગે છે કે આ બાબતને આપણે નજરઅંદાજ કરી રહ્યા હતાં. આપણને લાગતુ હતું કે આપણી લાઇફ સ્વતંત્ર બની ગઈ છે, પરંતુ ખરેખર તો એવુ નથી. આપણે બધા એક બીજા સાથે કનેક્ટેડ છીએ. આ મહામારીમાં આપણે એક બીજાની પ્રશંસા કરતા થયા છીએ. સાથે જ બધાનાં કામની પણ પ્રશંસા કરવી જોઈએ. હું માત્ર ફ્રન્ટલાઇન વર્કર્સની જ વાત નથી કરતી. તેમનું યોગદાન તો સાહસભર્યું છે. આપણે બધાએ તેમનો આભાર માનવો જોઈએ.’

bollywood anushka sharma bollywood news bollywood gossips entertainment news coronavirus