સિંઘમ 3નો જવાબ મળશે સૂર્યવંશીમાં : અજય દેવગન

06 January, 2020 03:58 PM IST  |  Mumbai Desk

સિંઘમ 3નો જવાબ મળશે સૂર્યવંશીમાં : અજય દેવગન

અજય દેવગને જણાવ્યું હતું કે ‘સિંઘમ 3’ને લઈને સંકેત ‘સૂર્યવંશી’માં જોવા મળશે. રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં અક્ષયકુમાર જોવા મળશે. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની છે. જોકે અજય હાલમાં ‘ગોલમાલ’ની સિરીઝ બનાવવા પર ધ્યાન આપી રહ્યો છે. અજયની ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ પણ જોવા મળશે. જોકે લોકો બાજીરાવ સિંઘમને જોવા માટે થનગની રહ્યા છે. ‘સિંઘમ 3’ વિશે પૂછવામાં આવતાં અજય દેવગને કહ્યું હતું કે ‘હા, અમે નક્કી એ બનાવવાના છીએ. જોકે હાલમાં અમે ‘ગોલમાલ’ બનાવવા પર ધ્યાન આપી રહ્યા છીએ. ત્યાર બાદ અમે ‘સિંઘમ’ પર કામ શરૂ કરીશું. તમે જ્યારે ‘સૂર્યવંશી’ જોશો તો તમને જવાબ મળી જશે. એ ફિલ્મમાં જ જવાબ સમાયેલો છે. ‘સૂર્યવંશી’માં પણ હું કામ કરી રહ્યો છું.’

ajay devgn singham bollywood bollywood news bollywood gossips