07 November, 2019 12:11 PM IST | Mumbai
તારા સુતરિયા
તારા સુતરિયાનું કહેવું છે કે મધુબાલા અને મીનાકુમારી જેવી વાત આજની એક પણ હિરોઈનમાં નથી. તે હાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘મરજાવાં’નું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં તે બોલી નહીં શકતી વ્યક્તિનું પાત્ર ભજવી રહી છે. આથી તે સાઇન લૅન્ગવેજમાં વાત કરતી જોવા મળશે. આ વિશે વધુ જણાવતા તારાએ કહ્યું હતું કે ‘મધુબાલા, મીનાકુમારી અને નૂતન મને હંમેશાંથી ખૂબ જ પસંદ છે. સ્ક્રીન પર તેમની હાજરી, સુંદરતા, આંખો અને એક્સપ્રેશન અલગ જ લેવલના છે. તેઓ એક્સપ્રેશન દ્વારા જ ઘણુ બધુ કહીં જતા હતા. મને લાગે છે કે અમારી જનરેશનમાં તેમની જેવી ‘અદા’ અને ‘નજાકત’ નથી. હું એવી આશા રાખી રહી છું કે એક દિવસ અમે ફરી એને લઈ આવીશું.’