સુશાંત સિંહ રાજપૂત અને સંજનાની દિલ બેચારાની રિલીઝ ડેટ પાછ‍ળ ધકેલાઈ

17 November, 2019 09:18 AM IST  |  Mumbai

સુશાંત સિંહ રાજપૂત અને સંજનાની દિલ બેચારાની રિલીઝ ડેટ પાછ‍ળ ધકેલાઈ

સુશાંત સિંહ

સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ હવે ૨૦૨૦ની ૮ મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ પહેલાં ૨૯ નવેમ્બરે રિલીઝ થવાની હતી અને એનું નામ પણ પહેલા ‘કિઝી ઔર મેની’ હતું. આ ફિલ્મની સ્ટોરી ‘ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ’ નોવેલ પર આધારિત છે, જેના પર હૉલીવુડમાં એજ નામની ફિલ્મ પણ બની ચૂકી છે. આ ફિલ્મ દ્વારા સંજના સંઘી બૉલીવુડમાં હિરોઇન તરીકે એન્ટ્રી કરી રહી છે. સંજનાએ પહેલાં ‘રોકસ્ટાર’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ નાનકડી ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ દ્વારા મુકેશ છાબરા ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મની રિલીઝની નવી તારીખ જાહેર કરતા અને ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરતા ટ્‍‍વિટર પર એ. આર. રહમાને ટ્વીટ કર્યું હતું કે ‘ઇમોશનથી ભરપૂર છે ‘દિલ બેચારા’ની સ્ટોરી. આ ફિલ્મ ૨૦૨૦ની ૮ મેએ રિલીઝ થવાની છે.’

sushant singh rajput entertaintment