12 April, 2019 11:44 AM IST |
સુશાંતસિંહ રાજપૂત (ફાઈલ ફોટો)
સુશાંત સિંહ રાજપૂતનું કહેવું છે કે તે એકતા કપૂર સાથે કામ કરવા માટે હંમેશાં તૈયાર છે. એકતાની સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ દ્વારા સુશાંતે તેની ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. સુશાંત અને એકતાએ બુધવારે એક બુક-લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં એકતા સાથે ફરી ટીવીમાં કામ કરવા વિશે પૂછતાં સુશાંતે કહ્યું હતું કે ‘ફક્ત ટેલિવિઝનમાં જ શું કામ? હું તેની સાથે કામ કરવા વિશે કોઈ પણ પ્લૅટફૉર્મ પર તૈયાર છું. મારી ફૅમિલીને બાદ કરતાં મારી કરીઅરમાં કોઈ પણ વ્યક્તિ સૌથી મહત્વની હોય તો એ છે એકતા મૅડમ. જો તેઓ મને કંઈ પણ કરવા કહે તો હું એને ફૉલો કરીશ.’