વંશવાદને લઈને ટ્રોલ થતી સોનાક્ષીએ ડિલીટ કર્યું ટ્વિટર અકાઉન્ટ,કહી આ વાત

20 June, 2020 09:04 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

વંશવાદને લઈને ટ્રોલ થતી સોનાક્ષીએ ડિલીટ કર્યું ટ્વિટર અકાઉન્ટ,કહી આ વાત

સોનાક્ષી સિન્હા

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ વંશવાદને લઈને બધા જ કલાકારો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ આનાથી પ્રભાવિત થઈ છે. હવે તેણે મોટું પગલું લેતા પોતાનું ટ્વિટર અકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું છે અને ટ્રોલ થવાથી બચવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પર કોમેન્ટ્સ સેક્શન બંધ કરી દીધું છે.

અભિનેત્રી સોનાક્ષી સિન્હાને આખરે સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ અને ધાકધમકીઓથી બચવા માટે રસ્તો કાઢવો પડ્યો. તેણે શનિવારે પોતાનું ટ્વિટર અકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું છે અને કહ્યું કે તે પોતાની પવિત્રતાની રક્ષા માટે આમ કરી રહી છે. સોનાક્ષીએ એક એવૉર્ડ શૉમાં એમ પોહલરના GIF શૅર કરતા લખ્યું, "પોતાની રક્ષા માટે પહેલું પગલું નકારાત્મકતાથી દૂર રહેવું છે અને હાલ આ ટ્વિટરથી વધારે અન્ય ક્યાંય નથી. ચાલો મારું અકાઉન્ટ બંધ કરી રહી છું. અલવિદા મિત્રો."

સોનાક્ષીએ પોતાના છેલ્લા ટ્વીટમાં લખ્યું અને પછી ઝડપથી પોતાનું ટ્વિટર અકાઉન્ટ બંધ કરી દીધું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ટ્વીટનું એક સ્ક્રીનશૉટ શૅર કર્યું અને લખ્યું, "આગ લગી બસ્તી મેં... ઔર મેં અપની મસ્તી મેં! બાય ટ્વિટર" સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર બધાની કોમેન્ટ પણ બંધ કરી રાખી છે. સુસાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોનાક્ષી અને અન્ય 'સ્ટાર કિડ્સ'ને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

આ પહેલા સોનાક્ષીએ સુશાંતના નિધન બાદ લખ્યું હતું કે, "કેટલાક લોકો આને આધાર બનાવીને પોતાનો પ્રચાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સુવર સાથેની લડાઇમાં મુશ્કેલી એ છે કે ગંદકી તમારા પર ચોંટે છે અને સુવરોને આનંદ આવે છે. કેટલાક લોકો અમારા જેવા જ એક સભ્યનો મોતનો ઉપયોગ કરીને પોતાના મુદ્દાઓ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે... કૃપા કરીને અટકો. તમારી નકારાત્મકતા અને ઘૃણાની અત્યારે જરૂર નથી. દિવંગત પ્રત્યે કંઇક તો સન્માન રાખો."

sonakshi sinha bollywood bollywood news bollywood gossips sushant singh rajput twitter