31 August, 2020 02:24 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તાપસી પન્નૂ
સુશાંત સિંહ રાજપૂત કેસ(Sushant singh rajput case)માં હાલ સીબીઆઇ (CBI) રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને પૂછપરછ કરી રહી છે. સીબીઆઇ (CBI) સામે રજૂ થતાં પહેલા રિયા ચક્રવર્તી એક ટીવી ઇન્ટરવ્યૂ (Television Interview) દ્વારા લોકો સામે પોતાનો પક્ષ રજૂ કરી ચૂકી છે. તેના પછી આના પર ચર્ચા ચાલું છે. હવે બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ (Bollywood Actress Taapsee pannu) એ પણ આ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે કોઇને પણ કૉર્ટ કરતાં પહેલા દોષી સાબિત કરવું કેટલું યોગ્ય છે?
હકીકતે, તાપસીએ એક ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું કે, "પર્સનલી હું ન તો સુશાંતને ઓળખું છું અને ન તો રિયાને. પણ જેટલી મને ખબર છે, આ સમજવા માટે ફક્ત મનુષ્ય હોવું જરૂરી છે કે આપણે કોઇને દોષી સાબિત થતાં પહેલા જ દોષી કહીએ, જ્યારે હજી ન્યાયપાલિકામાં આ સાબિત થયું નથી. પોતાની બુદ્ધિ પર વિશ્વાસ રાખતાં મૃતકનું સન્માન જાળવીને કાયદા પર વિશ્વાસ રાખવો જોઇએ."
જણાવવાનું કે સુપ્રિમ કૉર્ટના આદેશ પછી સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઇએ શરૂ કરી દીધી છે. સુશાંતને 14 જૂનના પોતાના બાન્દ્રા સ્થિત ઘરમાં કથિત રૂપે ગળેફાંસો ખાધો હતો. આના પછી લગભગ એક મહિના પછી સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. સીબીઆઇ રિયાને ત્રણ દિવસ પૂછપરછ કરી ચૂકી છે અન સતત ચોથા દિવસે પણ રિયાની પૂછપરછ ચાલું છે. આ સિવાય અન્ય ઘણાં લોકોની સાથે પૂછપરછ થઈ રહી છે. આમાં રિયાનો ભાઈ શોવિક પણ સામેલ છે.
આ સિવાય, નારકૉટિક્સ બ્યૂરો અને પ્રવર્તન નિદેશાલય પણ આ મામલે તપાસ કરી રહ્યા છે. આ મામલે ડ્રગ્સનો એંગલ આવ્યા પછી એનબીસીએ કેસ દાખલ કર્યો છે. ઇડી આને મની લૉન્ડ્રિંગના એંગલથી તપાસ કરી રહી છે. આ પહેલા મુંબઇ પોલીસ પણ આ કેસની તપાસ કરી ચૂકી છે. મુંબઇ પોલીસે પણ ઘણાં લોકોની પૂછપરછ કરી હતી.