ફરી મુશ્કેલીમાં 'કેદારનાથ', કોર્ટમાં કેસ, રસ્તાઓ પર ઉતર્યા વિરોધીઓ

28 December, 2018 05:47 PM IST  | 

ફરી મુશ્કેલીમાં 'કેદારનાથ', કોર્ટમાં કેસ, રસ્તાઓ પર ઉતર્યા વિરોધીઓ

ફિલ્મ કેદારનાથમાં સુશાંત સિંહ અને સારા

ઘણા બધા વિવાદોને પાર કરતા કેદારનાથ આખરે બની અને હવે જ્યારે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ફરી એકવાર કેદારનાથ સંકટમાં દેખાઈ રહી છે.  ફિલ્મને રિલીઝ થતી રોકવા માટે ઉતરાખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ફિલ્મના વિરોધમાં રસ્તાઓ પર ઉતરેલા લોકો ડિરેક્ટરના પૂતળા સળગાવવામાં આવી રહ્યા છે.
અભિષેક કપૂરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ કેદારનાથ 7 ડિસેમ્બરે  રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સુશાંત, મંસૂરના રોલમાં અને સારા મુક્કૂના રોલમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલર પછી સતત કેદારનાથને લઈને વિરોધ વધી રહ્યો છે. ફિલ્મમાં લવ જેહાદને પ્રોત્સાહન આપતુ હોવાનુ દર્શાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગઢવાલ સમાજના સ્વામી દર્શન ભારતી અને બદરીનાથ ધામના હરિકિશન કિમોઠીએ ઉતરાખંડ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે અને ભગવાન કેદારનાથના અપમાનનો આરોપ લગાવ્યો છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે  ફિલ્મમાં હિન્દુ અને પહાડની આસ્થાઓ સાખે મજાક કરવામાં આવી છે. ડિરેક્ટરે કેદારનાથ જળપ્રલયને લવ જેહાદ સાથે જોડીને આસ્થા અને  વિશ્વાસને ઠેસ પહોંચાડી છે.
ઉલ્લેખનીય છે કે,'  ફિલ્મ 7 ડિસેમ્બર રિલીઝ થવા જઈ  રહી છે. ત્યારે વિવાદ કેદારનાથ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ફિલ્મે પ્રચાર માટે 45 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં માત્ર 2 કટ્સ પછી U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
sushant singh rajput sara ali khan kedarnath abhishek kapoor