24 September, 2020 02:11 PM IST | Mumbai | Agencies
સુશાંત સિંહ રાજપૂત
‘કેદારનાથ’ની કો-રાઇટર કનિકા ઢિલ્લને સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં જણાવ્યું હતું કે ફિલ્મનો ક્લાઇમૅક્સ સાંભળીને તે રડી પડ્યો હતો. ફિલ્મમાં સુશાંતે મન્સુર નામના પિઠ્ઠુનું પાત્ર ભજવ્યુ હતું જેમાં મંદાકિનીની ભૂમિકામાં સારા અલી ખાન જોવા મળી હતી. આ ફિલ્મની તૈયારી સુશાંત કેવી રીતે કરતો હતો એનો ફોટો ટ્વિટર પર કનિકાએ શૅર કર્યો હતો. ફોટોમાં દેખાઈ આવે છે કે તે ટ્રેડ મિલ પર ખભા પર વજન લઈને એક્સરસાઇઝ કરી રહ્યો છે. આ ફોટોને ટ્વિટર પર શૅર કરીને કનિકાએ ટ્વીટ કર્યું હતું કે ‘સુશાંત સિંહ રાજપૂત તારા માટે મન્સુરનું પાત્ર લખવું સ્પેશ્યલ હતું. તેં તારો બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો હતો. મેં જ્યારે પહેલી વખત તને ‘કેદારનાથ’નો ક્લાઇમૅક્સ સંભળાવ્યો તો તું રડી પડ્યો હતો. ફિલ્મના લાસ્ટ શૂટિંગ વખતે મન્સુરના ચહેરા પર દર્દભરી સ્માઇલ હતી અને દિલમાં ભરપૂર પ્રેમ હતો. તેં અમને રડાવી દીધાં હતાં. તને યાદ કરવાની સૌથી સારી રીત એ છે કે એક કલાકાર તરીકે તેં જે કામ કર્યાં છે એને સેલિબ્રેટ કરવાનું છે.