03 October, 2011 07:45 PM IST |
આ નર્ણિય વિશે વાત કરતાં સોનાક્ષીની મમ્મી પૂનમ કહે છે, ‘બાળકો મોટાં થાય છે એમ તેમને અલાયદી જગ્યા જોઈએ છે. હું અને મારા પતિ ઘણા વખતથી આ મુદ્દે વિચાર કરતાં હતાં. આ જરૂરી છે, કારણ કે હવે તેમની પણ પોતાની અંગત જિંદગી છે. અમારા ખ્યાલ પ્રમાણે ‘રામાયણ’ દિવાળી સુધી તૈયાર થઈ જતાં અમે ફરી એમાં રહેવા ચાલ્યાં જઈશું, પણ આ વખતે ઘરના માળખાની સાથે-સાથે પરિસ્થિતિ પણ અલગ હશે. જોકે આ જ જીવન છે અને પરિવર્તનને અટકાવી શકાતું નથી.’
સોનાક્ષી આ દિવાળી વખતે ભવ્ય હાઉસવૉર્મિંગ પાર્ટી આપવા માગે છે અને લાગે છે કે હવે તે ઘરે સમયસર આવી જવાની પપ્પાની ડેડલાઇન પાળવાના મૂડમાં પણ નથી.