23 June, 2020 07:08 PM IST | Mumbai Desk | Agencies
સોના મોહાપાત્રા
સિંગર સોના મોહાપાત્રાને લાગે છે કે સુશાંતની ફૅમિલીને સાથ-સહકાર આપવાની સલમાન ખાનની અપીલ માત્ર એક પીઆર સ્ટન્ટ છે. સુશાંતના સુસાઇડ બાદ સલમાને તેના આત્માને શાંતિ મળે એવું ટ્વીટ કર્યું હતું. જોકે સુશાંતના સુસાઇડ માટે તે જવાબદાર છે એવી ચર્ચા ચાલી રહી છે. ત્યાર બાદ તેણે તેના ચાહકોને વિનંતી કરી હતી કે તેઓ સુશાંતની ફૅમિલી અને ફૅન્સને સપોર્ટ કરે. આ સંદર્ભે ટ્વિટર પર સોનાએ ટ્વીટ કર્યું હતું કે ‘ઝેરીલું પૌરુષત્વ ધરાવતા એકમાત્ર પોસ્ટર બૉયનો આ વિશાળ દિલ સાથે લેવામાં આવેલો એક પીઆર સ્ટન્ટ છે. વાસ્તવમાં તો તેને કોઈ ટ્વીટ કરવાની જરૂર નથી. સાથે જ તેની ડિજિટલ આર્મીએ જે પ્રકારે લોકોને ધમકાવ્યા હતા એની પણ માફી માગવાનો તેને અહેસાસ થયો નહીં હોય. તે જ્યારે પણ ફસાય છે તો પોતાના ડૅડીને આગળ કરી દે છે.’