કેટલાક શો ઈશ્વરની મહેરબાનીથી જ બને

23 June, 2020 11:01 PM IST  |  Rajkot | Rashmin Shah

કેટલાક શો ઈશ્વરની મહેરબાનીથી જ બને

ગજેન્દ્ર ચૌહાણ

‘મહાભારત’ અને ‘શ્રીગણેશ’ જેવા બે આઇકૉનિક શો સાથે જોડાયેલા ઍક્ટર ગજેન્દ્ર ચૌહાણ દૃઢપણે માને છે કે ડિવાઇન પાવર સામે માણસનું કશું આવતું નથી અને એટલે જ કેટલાંક કામ ઉપરવાળાની મહેરબાનીથી જ થતાં હોય છે. 

ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે ‘આવું જ ટીવી-શોમાં પણ છે. કેટલાક શો ઈશ્વરની મહેરબાનીથી જ બનતા હોય છે. ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘શ્રીગણેશ’ એવા જ શો છે. એ શોને જે સફળતા મળી છે એ ઈશ્વરની ઇચ્છા વિના શક્ય જ નથી.’
આ તમામ શોને દાયકાઓ વીતી ગયા છે અને એ પછી પણ આ શોની રાહ આતુરતાપૂર્વક જુએ અને શોની એકેક મિનિટ માણે એવું અત્યારના સમયમાં બની રહ્યું છે. આ તમામ શોએ ટીઆરપી ચાર્ટ પર પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે અને એવું પણ કહેવાય છે કે લૉકડાઉન પછીના પિરિયડમાં આ પ્રકારના શો નવા ટ્રેન્ડને લઈ આવવાનું કામ કરશે.
ગજેન્દ્ર ચૌહાણ કહે છે કે ‘આ શો આજના સમયમાં પણ નંબર-વન રહે એ હજી પણ માનવામાં નથી આવતું, પણ ઈશ્વરની ઇચ્છા સામે ક્યાં કોઈનું કશું ચાલ્યું છે.’

Rashmin Shah television news