‘રાંઝણા’ને જ્યાં શૂટ કરવામાં આવી હતી ત્યાં જ ‘તેરે ઇશ્ક મેં’નાં કેટલાંક દૃશ્યને શૂટ કરવામાં આવશે : આનંદ એલ. રા

29 June, 2023 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ આ ફિલ્મ દ્વારા ત્રીજી વાર સાથે કામ કરી રહ્યા છે.

આનંદ એલ. રાય

આનંદ એલ. રાયનું કહેવું છે કે ‘તેરે ઇશ્ક મેં’ની સ્ટોરીનું હાર્દ પણ ‘રાંઝણા’ જેવું જ હશે. ‘રાંઝણા’નાં દસ વર્ષ થતાં આનંદ એલ. રાયે ફરી ધનુષ સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તેઓ આ ફિલ્મ દ્વારા ત્રીજી વાર સાથે કામ કરી રહ્યા છે. આ વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં આનંદ એલ. રાયે કહ્યું કે ‘અમે જ્યારે ‘તેરે ઇશ્ક મેં’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા ત્યારે અમને એનો એહસાસ થયો કે અમે આ ફિલ્મમાં પણ ‘રાંઝણા’ જેવું જ અગ્રેશન લાવી રહ્યા છીએ. આ ફિલ્મના પ્રકારની વાત કરીએ તો એ ટ્રૅજેડીની કૅટેગરીમાં આવે છે. આ બે ફિલ્મો વચ્ચે કોઈ સામ્ય નથી, પરંતુ તેમનું હાર્દ સેમ છે. અમે ‘રાંઝણા’ પર જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અમને જે ફીલિંગ આવી રહી હતી એ હવે ફરી આવી રહી છે. ‘તેરે ઇશ્ક મેં’નાં કેટલાંક દૃશ્યોને વારાણસીમાં શૂટ કરવામાં આવશે જ્યાં ‘રાંઝણા’ને પણ શૂટ કરવામાં આવી હતી. જોકે મોટા ભાગનાં દૃશ્યોને અન્ય જગ્યાએ શૂટ કરવામાં આવશે.’

aanand l rai bollywood news bollywood gossips bollywood entertainment news