04 July, 2019 06:56 PM IST | મુંબઈ
અર્જુન કપૂર પર આ કારણે ફિદા છે મલાઈકા
મલાઈકા અરોરાએ જણાવ્યું છે કે અર્જુન કપૂરની કઈ ખૂબીઓએ તેનું દિલ ચોર્યું છે. અર્જુનમાં કઈ કઈ એવી વાત છે જે તેને પસંદ છે. મલાઈકાએ પોતાની લવ લાઈફના સીક્રેટનો ખુલાસો કરતા કહ્યું છે કે, કોઈ એવા વ્યક્તિને પામવું ખૂબ જ મુશ્કેલ હોય છે, જે તમને સમજતું હોય. અર્જુન મને સારી રીતે સમજે છે. અર્જુન તેમને હસાવે છે. મને અંદરથી ઓળખે છે. આ ચીજ મને અર્જુનમાં સૌથી વધુ પસંદ આવે છે. ફિલ્મોની વાત કરીએ તો અર્જુન કપૂર પોતાની આગામી ફિલ્મ પાણીપતની તૈયારી કરે છે. જે આશુતોષ ગોવારિકરની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે.
સંબંધો પર ખુલીને વાત કરી રહ્યા છે અર્જુન અને મલાઈકા
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હવે પોતાના સંબંધો વિશે ખુલીને વાતો કરે છે. હાલમાં જ અર્જુન કપૂરના જન્મદિવસના મોકા પર મલાઈકાએ અર્જુનની સાથે પોતાનો એક ફોટો શેર કરીને સંબંધોને સાર્વજનિક કર્યા હતા. ત્યાં જ હાલમાં એક મીડિયા હાઉસને આપેલા ઈંટરવ્યૂમાં મલાઈકાએ કહ્યું હતું કે તે અર્જુન સાથે ખૂબ જ ખુશ છે. આ સંબંધોથી તેમના પરિવારને પણ પરેશાની નથી. એટલું જ નહીં જ્યારે તેના દીકરા અરહાનને આ વિશે ખબર પડી ત્યારે તેને કોઈ જ પરેશાની નથી થઈ. અર્જુન અને મલાઈકા હાલ ન્યૂયૉર્કમાં ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.