સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરને હૉસ્પિટલમાં દાખલ કરાયા, હાલ તબિયત સ્થિર

11 November, 2019 08:33 PM IST  |  Mumbai

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરને હૉસ્પિટલમાં દાખલ કરાયા, હાલ તબિયત સ્થિર

લતા મંગેશકર

પીઢ ગાયિકા લતા મંગેશનકરને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસની તકલીફના કારણે તેમને સારવાર માટે દાખલ કરાયા હોવાનો અહેવાલો છે. તેમને બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહેવાલો પ્રમાણે લતા મંગેશકરને ડૉ. ફારોખ ઈ ઉડવાડિયા સારવાર આપી રહ્યા છે. મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે.

10 નવેમ્બરે જ લતા મંગેશકરે પદ્મિની કોલ્હાપુરેનું ફિલ્મ પાણીપતમાંથી પોસ્ટર શેર કરીને તેને અને આખી ટીમને શુભેચ્છાઓ આપી હતી. ગત 28 સપ્ટેમ્બરે તેઓ 90 વર્ષના થયા હતા ત્યારે બોલીવુડની જાણીતી હસ્તીઓએ તેમને શુભકામનાઓ આપી હતી.

lata mangeshkar