16 January, 2021 02:39 PM IST | Mumbai | Agency
અદનાન સમી
લતા મંગેશકરના અવાજને લઈને વાંધાજનક ટિપ્પણી કરનાર ટ્રોલરને સણસણતો જવાબ આપતાં સિંગર અદનાન સમીએ જણાવ્યું, ‘બંદર ક્યા જાને અદરક કા સ્વાદ.’ બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. કાવેરી નામના સોશ્યલ મીડિયા યુઝરે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘ભારતીયોનું બ્રેઇનવૉશ કરવામાં આવ્યું છે કે લતા મંગેશકરનો અવાજ ખૂબ સરસ છે.’
આ ટ્વીટથી અદનાનને ખાસ્સો ગુસ્સો આવ્યો છે. તે ટ્રોલરને જવાબ આપતાં ટ્વિટર પર અદનાને ટ્વીટ કર્યું હતું, ‘બંદર ક્યા જાને અદરક કા સ્વાદ. પોતાનું મોઢું ખોલીને મૂર્ખતા દેખાડવા કરતાં લોકોએ ચૂપ રહેવું જોઈએ અને સાથે જ શંકાઓ દૂર કરવી જોઈએ.’
તો ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું, ‘લતા મંગેશકરને કારણે જ મને સરસ્વતી અને દિવ્યતા પર વિશ્વાસ છે. નફરત કરનારા લોકોને કારણે જ મને પૃથ્વી પર રાક્ષસ હોવાનો ભરોસો બેઠો છે.’