19 December, 2020 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ
બૉલીવુડ એક્ટર અને સિંગર આદિત્ય નારાયણ આજકાલ તેમના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે. આદિત્યે 1 ડિસેમ્બરે તેની લૉન્ગ ટાઈલ ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્નનાં બંધનમાં બંધાયો હતો. બન્નેએ મુંબઈના ઈસ્કોન મંદિરમાં સિમ્પલ રીતે લગ્ન કર્યા હતા. કોરોના વાઈરસના કારણે તેમના લગ્નમાં પરિવાર સિવાયના કેટલાક ખાસ મિત્રો સામેલ થયા હતા. લગ્ન અને લગ્નવિધિની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ હતી. લગ્ન બાદ બન્નેના રિસેપ્શનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. સિંગરના રિસેપ્શનમાં બૉલીવુડના કેટલાક દિગ્ગજ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. હવે આદિત્ય અને શ્વેતાના હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયા પર ફૅન્સ સાથે શૅર કરી રહ્યા છે. જે ઘણી પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે હવે સિંગર આદિત્ય નારાયણે પોતાના હનીમૂનનો બીજો ફોટો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું છે, સૂર્યાસ્ત, સુકુન, શ્વેતા અને શિકારા હૈ ના ખૂબસૂરત નઝારા?
આ પહેલા પણ એમણે પોતાના ફૅન્સ સાથે હનીમૂનની પહેલી તસવીર શૅર કરી છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે આદિત્ય ગ્રે કલરની જેકેટ અને સનગ્લાસ પહેર્યા છે. તેમ જ એની પત્ની શ્વેતા પિંક કલરના સ્વેટર સાથે રેડ કલરની કેપ પહેરી છે, જેમાં તે ઘણી સુંદર નજર આવી રહી છે. આ દરમિયાન બન્નેની સ્માઈલ ઘણી ક્યૂટ લાગી રહી છે. બન્ને આ ખાસ પળને એકસાથે એન્જૉય કરીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ ફોટો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરતા આદિત્યે કેપ્શનમાં લખ્યું - હનીમૂનની શરૂઆત થઈ ચૂકી છે. ધરતીના સ્વર્ગ પર પહોંચી ગયા છે. પહેલીવાર કાશ્મીરમાં.....
તમને જણાવી દઈએ કે આદિત્ય અને શ્વેતાએ આ મહિનાની શરૂઆતમાં લગ્ન કર્યા છે. બન્ને છેલ્લા એક દાયકાથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આદિત્ય અને શ્વેતાની મુલાકાત વર્ષ 2010માં આવેલી 'શાપિત' ફિલ્મની શૂટિંગ દરમિયાન થઈ હતી.
વર્ષ 2020માં આ સેલિબ્રિટીઝે કર્યા લગ્ન
વર્ષ 2020ના અંતના મહિના ડિસેમ્બરમાં ઘણા બૉલીવુડ સ્ટાર્સ અને ટીવી કલાકારોએ લગ્ન કર્યા છે. એમાં નેહા કક્કર, આદિત્ય નારાયણ, સના ખાન, કાજલ અગ્રવાલ, રાણા દગ્ગુબતી જેવા અન્ય સ્ટાર્સના નામે સામેલ છે.