શુભ મંગલ ઝ્યાદા સાવધાન સિરિયસ ફિલ્મ નથી : આયુષ્માન ખુરાના

14 February, 2020 05:14 PM IST  |  Mumbai Desk

શુભ મંગલ ઝ્યાદા સાવધાન સિરિયસ ફિલ્મ નથી : આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ સિરિયસ ફિલ્મ નથી. એમાં મેસેજ આપવામાં આવ્યો છે. આનંદ એલ. રાયની આ ફિલ્મ ગેની લાઇફ પર આધારિત છે. ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મના ડિરેક્ટર હિતેશ કેવલ્ય છે. આ ફિલ્મ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ પૂરી રીતે મનોરંજક ફિલ્મ છે, જેમાં એક મેસેજ આપવામાં આવ્યો છે. આ ફિલ્મને સિરીયસ ફિલ્મ કહેવી અયોગ્ય કહેવાય. ફિલ્મમાં મેસેજ સમાયેલો છે. આ કૉમેડી ફિલ્મની સાથે એક એવો મેસેજ છે જે તમને વિચારતા કરી દેશે. એમ કહી શકાય કે ફિલ્મનું હાર્ટ યોગ્ય સ્થાને જ રાખેલું છે. આ કોઈ સિરિયસ ફિલ્મ નથી.’

ayushmann khurrana bollywood bollywood gossips bollywood news