01 October, 2020 10:48 AM IST | Mumbai | Agencies
શેખર કપૂર
ફિલ્મમેકર શેખર કપૂરને પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા એટલે કે FTII સોસાયટીના પ્રેસિડન્ટ તરીકે અને FTII ઇન્સ્ટિટ્યૂટની ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ આ પદ પર 2023ની 3 માર્ચ સુધી કાર્યરત રહેશે. આ વાતની માહિતી ટ્વિટર પર આપતાં કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ ખ્યાતિ પ્રાપ્ત કરનાર ફિલ્મમેકર શેખર કપૂરને FTII સોસાયટીના પ્રેસિડન્ટ તરીકે અને FTII ઇન્સ્ટિટ્યૂટની ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન તરીકે જાહેર કરતાં ખુશી થઈ રહી છે. મિસ્ટર કપૂરનો અનુભવ ઇન્સ્ટિટ્યૂટના વારસામાં વધારો કરશે. મને ખાતરી છે કે તેમની નિમણૂકને સૌકોઈ આવકારશે.’