જો ભારત અસહિષ્ણુ હોત તો ફિલ્મ ‘pk’ સુપરહિટ ન ગઈ હોત : શત્રુઘ્ન

27 November, 2015 03:22 AM IST  | 

જો ભારત અસહિષ્ણુ હોત તો ફિલ્મ ‘pk’ સુપરહિટ ન ગઈ હોત : શત્રુઘ્ન


આ વિશે વધુ જણાવતાં તેમણે ટ્વિટર પર ઘણાંબધાં ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ‘મારા આમિર અને તેના પરિવાર સાથે સારા સંબંધ છે, પરંતુ ઇન્ડિયા પર આમિર દ્વારા કે અન્ય કોઈ પણ દ્વારા અસહિષ્ણુતાનું લેબલ લગાવવામાં આવે એનાથી હું સહમત નથી. જો ઇન્ડિયા અસહિષ્ણુ હોત તો ‘pk’, જેમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક કરવામાં આવી હતી એ ફિલ્મ કોઈ પણ દિવસ સફળ ન રહી હોત. આપણી માતૃભૂમિ સ્વાભાવિક અને આવશ્યક રીતે એકદમ શાંતિપ્રિય અને દરેક જાતિ, માન્યતા અને ધર્મનો આદર કરે છે.’