રણવીર સાથે કામ કરતી વખતે મારે મારા 200 ટકા આપવું પડશે : શાલિની પાંડે

10 January, 2020 12:29 PM IST  |  Mumbai | Harsh Desai

રણવીર સાથે કામ કરતી વખતે મારે મારા 200 ટકા આપવું પડશે : શાલિની પાંડે

શાલિની પાંડે

શાલિની પાંડેનું કહેવું છે કે રણવીર સિંહ સાથે કામ કરવા માટે મારે મારા ૨૦૦ ટકા આપવા પડશે. ‘અર્જુન રેડ્ડી’માં જોવા મળેલી શાલિની હવે યશરાજ ફિલ્મ્સની ‘જયેશભાઈ જોરદાર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. ફિલ્મ વિશે વાત કરતાં શાલિનીએ કહ્યું હતું કે ‘બૉલીવુડમાં ડેબ્યુ કરવા માટે હું ‘જયેશભાઈ જોરદાર’ કરતાં સારી ફિલ્મ ન માગી શકુ. મને ખુશી છે કે મેં પ્રોડ્યુસર મનીષ શર્મા અને ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરને મારા ઑડિશન દ્વારા ઇમ્પ્રેસ કર્યા હતા. યશરાજ ફિલ્મ્સ દ્વારા મને જ્યારે ફિલ્મ માટે પસંદ કરવામાં આવી હતી ત્યારે મારા માટે આ ખૂબ જ મોટી વાત હતી.’

રણવીર સાથે કામ કરવા વિશે પૂછવામાં આવતાં શાલિનીએ કહ્યું હતું કે ‘પાવરહાઉસ અને સુપરસ્ટાર રણવીર સિંહ સામે હું બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી હોવાથી મને ઍક્ટર તરીકે કોન્ફિડન્સ મળવાની સાથે પોતાની જાતને સાબીત કરવાની તક પણ મળી છે. તેની સાથે ઍક્ટિંગ કરતી વખતે મારે મારા બસો ટકા આપવા પડશે કારણ કે તે દરેક દૃશ્યને ખૂબ જ સુંદર રીતે ભજવે છે. તે એક પછી એક લેયર ઍડ કરવામાં જિનિયસ છે. તેની સાથે એક જ ફ્રેમમાં કામ કરીને તેના પર્ફોર્મન્સ દ્વારા તેની પ્રોસેસને જાણવાનો પણ મને ચાન્સ મળશે. ‘જયેશભાઈ જોરદાર’ દ્વારા હું વધુ સારી ઍક્ટર બનીશ એવી મને આશા છે.’

આ ફિલ્મમાં મહિલાઓના સશક્તિકરણને અલગ ઍન્ગલથી દેખાડવામાં આવશે. ફિલ્મ વિશે પૂછતાં શાલિનીએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ અદ્ભુત સ્ક્રિપ્ટ છે. દુખની વાત એ છે કે હું આ વિશે કંઈ જણાવી શકુ એમ નથી. જોકે એમાં પાવરફુલ મૅસેજ આપવામાં આવ્યો છે.’

ranveer singh yash raj films bollywood news entertaintment