શાહિદ અને પરિણીતીની ઉડતા પંજાબમાં જોડાયો આયુષમાન

29 November, 2014 05:56 AM IST  | 

શાહિદ અને પરિણીતીની ઉડતા પંજાબમાં જોડાયો આયુષમાન

આ ફિલ્મને ‘ઇશ્કિયા’ અને ‘ડેઢ ઇશ્કિયા’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ફિલ્મમેકર અભિષેક ચૌબે બનાવી રહ્યા છે. અભિષેકની ‘ઉડતા પંજાબ’ માટે શાહિદ કપૂર અને પરિણીતી ચોપડાને પહેલાં જ સાઇન કરી લેવામાં આવ્યાં છે જ્યારે શાહિદની સામે બીજા લીડ રોલ માટે આયુષમાનની પસંદગી કરવામાં આવી છે. આમ તો આયુષમાનને મળેલા રોલ માટે પહેલા ઇમરાન હાશ્મીનું નામ ચર્ચાઈ રહ્યું હતું જેને ફિલ્મમેકરોએ હાલમાં રદિયો આપ્યો છે. આયુષમાન આ રોલ મેળવીને ઘણો ખુશ છે અને તેણે પોતાની લુક-ટેસ્ટ દઈ દીધા બાદ પોતાના પાત્ર માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એમ છતાં પેપર પર કૉન્ટ્રૅક્ટ સાઇન કરવાનો હજી બાકી છે.