શાહરુખ-સંજય ભણસાલી વચ્ચે પૅચ-અપ થઈ ગયું?

30 July, 2012 06:17 AM IST  | 

શાહરુખ-સંજય ભણસાલી વચ્ચે પૅચ-અપ થઈ ગયું?

એનું કારણ હતું ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘સાંવરિયા’ની એકસાથે થયેલી રિલીઝ. એ વખતે શાબ્દિક ગરમાગરમી પણ થયેલી અને એ પછી બન્ને વચ્ચે વાતચીત કરવાના સંબંધો પણ નહોતા રહ્યા. જોકે હવે એવું લાગી રહ્યું છે કે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

 

સંજયની બહેન બેલા સેહગલની પહેલી ફિલ્મ ‘શીરીં ફરહાદ કી તો નિકલ પડી’ના પ્રમોશનલ ઇવેન્ટમાં ઑફિશ્યલ પોસ્ટર રિલીઝ કરતી વખતે શાહરુખ અને સંજય બન્ને સાથે જોવા મળ્યાં હતા. એવું જાણવા મળ્યું હતું કે કાર્યક્રમ પૂરો થયા પછી શાહરુખ થોડા સમય માટે સંજયની નવી ઑફિસે જઈ આવ્યો હતો. બન્નેએ જૂના દિવસોની વાતોને વાગોળી હતી એટલું જ નહીં, બન્નેએ સાથે કરી શકાય એવા એક પ્રોજેક્ટ વિશે ચર્ચા પણ કરી હતી. બન્નેએ ફિલ્મ શાના પર આધારિત છે અને પ્રોજેક્ટમાં અન્ય કોને લઈ શકાય એ વિશે પણ ચર્ચા કરી હતી અને એ ચર્ચા મોડી રાત સુધી ચાલી હતી.