શાહરૂખ અને સલમાને કંઈક આ રીતે આપ્યા અર્પિતાને આશિર્વાદ

17 November, 2014 05:50 AM IST  | 

શાહરૂખ અને સલમાને કંઈક આ રીતે આપ્યા અર્પિતાને આશિર્વાદ

શાહરૂખ ખાન પણ આ સંગીત સેરેમનીમાં પહોંચ્યો અને તેણે સલમાન સાથે અર્પિતાને માથા પર પ્રેમાળ ચુંબન કરી નવ જીવનના મંગળ આશિષ આપ્યા.આ એક એવી ઘડી હતી કે ત્યાં હાજર સૌ લોકો આ દર્શય જોઈને આશ્ચર્ય પામી ગયા.અર્પિતા મંગળવારે આયુષ શર્મા સાથે સાત ફેરા ફરીને નવજીવનની શરૂઆત કરશે.

અર્પિતાના જીજાજી અતુલ અગ્નિહોત્રીએ શાહરૂખ,અર્પિતા અને સલમાનનો આ ફઓટો પોસ્ટ કર્યો હતો.ફોટો કર્ટસીઃ અતુલ અગ્નિહોત્રી ટ્વિટર અકાઉન્ટ @atulreellife

સંગીત સેરેમની બ્રાંદ્રામાં આવેલા સલમાનના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે યોજાઈ હતી.જેમાં બોલિવુડની અનેક સેલિબ્રિટિઝ પણ હાજર રહી હતી.અર્પિતા ખાનના લગ્ન હૈદરાબાદમાં મંગળવારે ફલકનુમા પેલેસમાં યોજાનાર છે.જો કે રિસેપ્શન 21 નવેમ્બરે મુંબઈમાં યોજાશે.હૈદરાબાદ ખાતે યોજાનારા અર્પિતા અને આયુષના લગ્નમાં બોલિવુડની ઘણી સેલિબ્રિટિઝને પણ આમંત્રીત કરવામાં આવી છે.

શાહરૂખ ખાને તાજેતરમાં જ કહ્યુ હતુ કે તે અર્પિતાના લગ્નમાં હાજરી આપશે,અને તે માટે મારે આમંત્રણની જરૂર નથી કારણ કે અર્પિતા મારી પોતાની પણ બહેન છે.શાહરૂખ ખાને આ રીતે અર્પિતાની સંગીત સેરેમનીમાં આવીને સલમાન સાથેના તમામ અણબનાવોને દૂર કરી દીધાનો મૂક સંદેશો પણ આપી દીધો છે.આ તસવીરે સાબીત કરી દીધુ છે કે આ બંને ખાન ફરી પહેલા જેવા જ મિત્રો બની ગયા છે.