સત્યમેવ જયતે 2’ થઈ પોસ્ટપોન

28 April, 2021 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમારી ફિલ્મને હવે પોસ્ટપોન કરવામાં આવી છે. ત્યાં સુધી આપણે માસ્ક પહેરી રાખીએ અને પોતાની જાતની સાથે આપણા પ્રિયજનોને પણ કોરોનાથી દુર રાખીએ. જય હિન્દ.’

સત્યમેવ જયતે 2

જૉન એબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ની રિલીઝને પોસ્ટપોન કરવામાં આવી છે. મિલાપ ઝવેરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ૧૩ મે એટલે કે ઇદ પર રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં મનોજ બાજપાઈ અને દિવ્યા ખોસલા કુમાર પણ છે. ઇન્ડિયામાં વધી રહેલાં કોરોનાને કારણે આ ફિલ્મને પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે સ્ટેટમેન્ટમાં મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘આ મુશ્કેલીના સમયમાં આપણા દેશના લોકોની સેફ્ટી અને હેલ્ધથી વધુ મહત્ત્વનું કંઈ જ નથી. અમારી ફિલ્મને હવે પોસ્ટપોન કરવામાં આવી છે. ત્યાં સુધી આપણે માસ્ક પહેરી રાખીએ અને પોતાની જાતની સાથે આપણા પ્રિયજનોને પણ કોરોનાથી દુર રાખીએ. જય હિન્દ.’

bollywood news bollywood entertainment news bollywood gossips