યાદગાર અનુભવો બનાવવા માટે જીવે છે સાન્યા મલ્હોત્રા

25 January, 2020 03:00 PM IST  |  Mumbai

યાદગાર અનુભવો બનાવવા માટે જીવે છે સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાનું કહેવુ છે કે તે યાદ રાખવા જેવા અનુભવો બનાવવા માટે જીવે છે. તેને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે. તે ‘લુડો’, ‘શકુંતલા દેવી’ અને ‘પગલેટ’ જેવી ફિલ્મોમાં વ્યસ્ત છે. તે હાલમાં જ કતારની રાજધાની દોહા પહોંચી હતી. એ અનુભવ વિશે સાન્યાએ કહ્યું હતું કે ‘હું ટ્રાવેલિંગ માટે હંમેશાં ઉત્સાહી રહું છું અને ખરુ કહું તો યાદગાર અનુભવો ઘડવા માટે જ હું જીવુ છું. હું અનેક ટ્રિપ્સ પર જાઉં છું, પછી તે કામ માટેની હોય કે વેકેશન હોય. દોહાની વાત કરું તો કતાર ઍરવેઝ સાથે મારી જર્નીનો યાદગાર અનુભવ રહ્યો છે. મને શૉપિંગ અને સાહસીક પ્રવૃત્તિઓ કરવી ગમે છે.’

sanya malhotra bollywood news