27 December, 2011 05:50 AM IST |
સંજય દત્ત તેની વાઇફ માન્યતા અને ટ્વિન બાળકો શાહરાન અને ઇક્રા સાથે ઇન્ડોનેશિયાના બાલી માટે શનિવારે નીકળ્યો હતો. તે ક્રિસમસ અને ન્યુ યર મનાવ્યા પછી પહેલીએ મોડી રાત્રે પાછો ફરવાનો હતો. જોકે હવે તેણે બે દિવસ પહેલાં આવી જવું પડશે. તેણે ૩૧ ડિસેમ્બરે કર્જતમાં આવેલા શોના સ્ટુડિયોમાં એપિસોડનું શૂટિંગ કરવું પડશે.
સંજય દત્ત તેની ‘અગ્નિપથ’ની રીમેકનું બીજું ટ્રેલર લૉન્ચ થાય ત્યાં સુધી રાહ જોવા માગતો હોવાથી ક્રિસમસના આગલા દિવસે જ વેકેશન માટે નીકળ્યો હતો. જોકે ત્યાર પછી શો સાથે સંકળાયેલા લોકોએ ૩૧ ડિસેમ્બરે સ્પેશ્યલ એપિસોડ શૂટ કરવાનો પ્લાન કયોર્ હતો. સલ્લુ હજી તેના આજના જન્મદિવસ પછી જ દુબઈ જવાનો હોવાથી સંજુબાબાને ચૅનલના લોકોએ પાછો બોલાવવાનું નક્કી કર્યું હતું અને તેની સાથે વાત કરતાં સંજુ માની ગયો હતો.
જોકે ગયા વર્ષે સલ્લુ એક જ દિવસ માટે ૩૧ ડિસેમ્બરે શૂટિંગ કરવા આવ્યો હતો, પણ આ વખતે બે હોસ્ટ હોવાથી ચૅનલ સાથે સંકળાયેલા લોકોએ તેને બોલાવવાનો નર્ણિય નહોતો લીધો.