મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મમાં પણ સંજય દત્ત જ બનશે મુન્નાભાઈ

07 October, 2015 05:26 AM IST  | 

મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મમાં પણ સંજય દત્ત જ બનશે મુન્નાભાઈ


રાજકુમાર હીરાણી સંજય દત્તની બાયોપિક બનાવી રહ્યા છે જેમાં રણબીર કપૂર સંજયનું પાત્ર ભજવશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ માટે સંજયે રાજકુમારને લીલી ઝંડી બતાવી દીધી છે અને રાજકુમાર સંજય માટે મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ પર પણ કામ કરી રહ્યા છે. પહેલાં આ ફિલ્મને ‘મુન્નાભાઈ ચલે અમેરિકા’ તરીકે બનાવવાની વાત ચાલી હતી જેને રાજકુમાર હીરાણીએ બનાવવાની ના પાડેલી, પરંતુ હવે તેમને એ ફિલ્મ વિશે નવો વિષય મળી ગયો હોવાથી તેઓ આ ફિલ્મ બનાવશે અને એમાં મુન્નાભાઈ તરીકે સંજય દત્ત જ જોવા મળશે. રાજકુમાર હીરાણી પહેલાં સંજયની બાયોપિક પરનું કામ પૂરું કર્યા બાદ મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મનું કામ શરૂ કરશે.