આગામી ફિલ્મમાં શિવનો રોલ કરશે સલમાન : પાર્વતીની તલાશ

26 November, 2014 05:16 AM IST  | 

આગામી ફિલ્મમાં શિવનો રોલ કરશે સલમાન : પાર્વતીની તલાશ

હાલમાં જાણવા મળ્યું છે કે આ નવલકથા પર આધારિત ફિલ્મમાં સલમાન ખાનને શિવની ભૂમિકા ભજવવા માટે સાઇન કરી લેવામાં આવ્યો છે, જ્યારે તેની પાર્વતીની શોધ હજી ચાલુ છે. કરણ જોહરની આ ફિલ્મનું ડિરેક્શન કરણ મલ્હોત્રા કરશે. જોકે આ નવલકથામાં શિવ વિશે જણાવેલી બાબતોને ધ્યાનમાં લઈને કેટલાંક ધાર્મિક સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો જેના કારણે આ ફિલ્મ પર પણ ચર્ચા શરૂ થઈ ચૂકી છે.

આ ફિલ્મમાં પહેલાં શિવ-પાર્વતીના લીડ રોલ માટે હૃતિક રોશન અને કરીના કપૂર-ખાનને પસંદ કરવામાં આવ્યાં હતાં, પણ હૃતિકની બ્રેઇન-સર્જરી અને ‘બૅન્ગ બૅન્ગ’ને કારણે આ ફિલ્મ છાપરે ચડી ગઈ હતી. ત્યાર બાદ કરીનાએ પણ ફિલ્મમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.