ફિલ્મને વધારે સ્ટાર્સ મળવા છતાં પણ ગભરાઈ જાય છે સલમાન ખાન

14 June, 2019 10:52 AM IST  |  મુંબઈ

ફિલ્મને વધારે સ્ટાર્સ મળવા છતાં પણ ગભરાઈ જાય છે સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે જ્યારે તેની ફિલ્મને વધુ સ્ટાર્સ મળે છે તો તે ગભરાઈ જાય છે. આ વિશે જણાવતાં સલમાને કહ્યું હતું કે ‘હું ગભરાઈ જાઉં છું કે શું કામ તેમણે આટલાબધા સ્ટાર્સ આપ્યા છે, કારણ કે ક્રિટિક્સની અને લોકોની વિચારધારા એકસરખી નથી હોતી. પછી હું વિચારું છું કે જો આ ફિલ્મ સારી ન ચાલી તો? મને જે ફિલ્મોની સ્ક્રિપ્ટ પસંદ પડે છે હું એ ફિલ્મો કરું છું. મારી એવી ઇચ્છા છે કે લોકો થિયેટરમાં ફિલ્મો જોવા જાય અને પોતાની તમામ ચિંતાઓ ભૂલી જાય. ફિલ્મ જોયા બાદ લોકો જ્યારે થિયેટરમાંથી બહાર નીકળે તો એક સારી વ્યક્તિ તરીકે આવે. ફિલ્મ કરતી વખતે આ જ વસ્તુને હું ધ્યાનમાં રાખું છું.’

આ પણ વાંચો: MeToo : નાના પાટેકરની સામેનો કેસ બંધ કરાયો

લોકોને મારી ફિલ્મ પસંદ પડે છે કે નહીં એ બૉક્સ-ઑફિસ કલેક્શન પરથી નક્કી થાય છે: સલમાન ખાન

સલમાન ખાને જણાવ્યું હતું કે બૉક્સ-ઑફિસ કલેક્શન પરથી જાણ થાય છે કે લોકોને તેની ફિલ્મ પસંદ પડી છે કે નહીં. ઈદ દરમ્યાન રિલીઝ થયેલી તેની ‘ભારત’ લોકોને ખૂબ પસંદ પડી છે. લોકો તરફથી મળતા પ્રમાણ વિશે સલમાને કહ્યું હતું કે ‘મારું પ્રમાણપત્ર બૉક્સ-ઑફિસ કલેક્શન પરથી આવે છે, જે દેખાડે છે કે લોકોને મારી ફિલ્મ પસંદ પડી છે કે નહીં. મને એનાથી કોઈ ફરક નથી પડતો કે ક્રિટિક્સ મારી ફિલ્મને ઘણા સ્ટાર્સ આપે છે કે પછી એના વિશે ઘટતું બોલે છે. એ તેમની રોજીરોટી છે. ભગવાનની કૃપા તેમને મળે. તેઓ હજી કમાણી કરે.’

Salman Khan bollywood news Bharat katrina kaif