સૈફ-કરીનાના નિકાહ ગેરકાયદેસર, કરીનાએ લગ્ન પોતાના ફાયદા માટે કર્યા છે : દારૂલ ઉલૂમ

18 October, 2012 05:53 AM IST  | 

સૈફ-કરીનાના નિકાહ ગેરકાયદેસર, કરીનાએ લગ્ન પોતાના ફાયદા માટે કર્યા છે : દારૂલ ઉલૂમ


સૈફ-કરીનાના લગ્નની દરેખ ખબર તેમ જ ફોટો જોવા માટે ક્લિક કરો અહીં




નવી દિલ્હી, 18 ઓક્ટોબર, 2012


ઉલેમાએ કહ્યું છે કે કરીનાએ આ લગ્ન પોતાના ખાસ હેતુ તેમ જ અંગત ફાયદા માટે કર્યા છે. જ્યારે ઈસ્લામ આ માટેની મંજૂરી નથી આપતું. તેમણે આ લગ્ન સંપૂર્ણ રીતે ખોટા બતાવ્યાં હતાં.

દારૂલ ઉલૂમના ફતવા વિભાગના વરિષ્ઠ મુફ્તી હબીબુર્રહમાને સ્પષ્ટ કહ્યું હતું કે કરીનાએ લગ્ન પહેલા ઇસ્લામ કબૂલ કર્યો નથી. તેણે પોતાના અંગત ફાયદા માટે આ લગ્ન કર્યાં છે. ઇસ્લામમાં આ પ્રકારના લગ્નને માન્યતા આપવામાં આવી નથી. જો બંને મુસ્લિમ હોય તો જ લગ્ન માન્ય ગણાય છે.

જ્યારે દારૂલ ઉલૂમના મુફ્તી મોહમ્મદ આરિફે કહ્યું હતું કે બંનેના લગ્નને કાયદેસરના કહીં ન શકાય. ઇસ્લામમાં આ પ્રકારના લગ્નને માન્યતા નથી.