નેપોટિઝ્મ પર સૈફનો ખુલાસો,મેકર્સને ફોન કરીને છીનવાયા મારા પ્રૉજેક્ટ્સ

02 July, 2020 09:50 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

નેપોટિઝ્મ પર સૈફનો ખુલાસો,મેકર્સને ફોન કરીને છીનવાયા મારા પ્રૉજેક્ટ્સ

સૈફ અલી ખાન

બોલીવુડમાં હાલ નેપોટિઝ્મ પર વિવાદ વધ્યો છે. અત્યાર સુધીં કંગના રણોટ જેવા અમુક સિતારાઓનો અવાજ સંભળાતો હતો, પણ હવે બોલીવુડના દિગ્ગજ કલાકારોએ પણ આગળ આવીને નેપોટિઝ્મ પર પોતાના વિચાર રજૂ કરવા શરૂ કરી દીધા છે. બોલીવુડના નવાબ સૈફ અલી ખાને નેપોટિઝ્મ પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

સગાવાદનો ભોગ બન્યો- સૈફ
એક્ટર સૈફ અલી ખાન બોલીવુડમાં ઘણાં સમયથી સક્રિય છે અને તેમના પરિવારના આ ઇન્ડસ્ટ્રી સાથે સારા કૉન્ટેક્ટ્સ જોવા મળે છે. તેમ છતાં સૈફ અલી ખાનના કહ્યાં પ્રમાણે તે પોતે નેપોટિઝ્મનો ભોગ બન્યા છે. તેમના કરિઅર પર પણ નેપોટિઝ્મની અસર જોવા મળે છે. સૈફે એક વેબિનારમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સૈફ કહે છે કે, "નેપોટિઝ્મનો ભોગ તો હું પણ થયો છું પણ કોઇને આમાં રસ નથી. બિઝનેસ આમ જ ચાલે છે. હું હવે નામ તો નહીં લઉં પણ ઘણીવાર એવું થતું કે કોઇકના પિતાનો ફોન આવતો કે આને ફિલ્મમાં ન લેતા. આ બધું થતું રહે છે અને મારી સાથે પણ થયું છે."

આમ તો સૈફ પોતે આ નેપોટિઝ્મ કલ્ચરથી વધારે ખુશ નથી. તે આને સામાન્ય માને છે. તે કહે છે કે કોઇક વિશેષ વર્ગને વધારે તક આપવી અને વધારે ટેલેન્ટેડ લોકોને છોડી દેવા, આ બધું યોગ્ય નથી. નેપોટિઝ્મમાં સૌથી વધારે ખરાબ એ હોય છે કે ઘણીવાર યોગ્યતા ધરાવનાર અને સારા કલાકારોને છોડી દેવામાં આવે છે અને તેમને લેવામાં આવે છે જે વધારે ટેલેન્ટેડ નતી હોતા. હવે મારી પાસે આનો કોઇ જવાબ તો નથી પણ આવું થાય છે.

પંકજ-નવાઝે બનાવ્યું જૂદું સ્થાન- સૈફ
સૈફે સુશાંત સિંહ રાજપૂતના નિધન પર પણ પોતાના વિચાર રજૂ કર્યા છે. સૈફ પ્રમાણે સુશાંત પોતે માનતો હતો કે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ થયા છે. સૈફ કહે છે- ઇન્ડસ્ટ્રીમાં આ સંઘર્ષ તો થતો રહે છે. પણ માણસને હંમેશાં સમાન તક મળવી જોઇએ. તો સૈફે આ બાબતે ખુશી વ્યક્ત કરી છે કે કેટલાય આઉટસાઇડરે બોલીવુડમાં પોતાના બળે એક અલગ સ્થાન બનાવ્યું છે. તે પંકજ ત્રિપાઠી અને નવાઝની સફળતા જોઇને ઘણાં ખુશ થાય છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારામાં સૈફ પણ કેમિયો રોલમાં દેખાશે. ફિલ્મમાં સુશાંતની અપોઝિટ સંજના સંઘીને કાસ્ટ કરવામાં આવી છે. ફિલ્મને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર 24 જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે.

bollywood bollywood news bollywood gossips sushant singh rajput saif ali khan