જેનિલિયા-રિતેશની સગાઈ થઈ ગઈ?

05 October, 2011 07:53 PM IST  | 

જેનિલિયા-રિતેશની સગાઈ થઈ ગઈ?

 

રિતેશ અને જેનિલિયા લગ્ન માટે ઘણા સમયથી પ્લાન કરી રહ્યાં હતાં અને એ કારણે જ બન્નેના પરિવારજનોએ વિચાર્યું હતું કે ઑફિશ્યલી તેમના પ્રેમસંબંધને એક સ્ટેપ આગળ લઈ જ જવું. રસપ્રદ વાત એ છે કે બન્નેના ફિલ્મજગતમાંથી કોઈ પણ મિત્રોને આ સેરેમનીમાં બોલાવવામાં આવ્યા નહોતા. તેમણે આખી સેરેમની પરિવારજનો અને અમુક ક્લોઝ ફ્રેન્ડ્સની હાજરીમાં જ માણવાનું નક્કી કર્યું હતું.

એવું કહેવામાં આવે છે કે તેઓ છેલ્લાં આઠ વર્ષથી એકબીજાના પ્રેમમાં છે, પણ ક્યારેય જાહેરમાં આ વાત કબૂલ કરતાં જોવા નથી મYયાં. ખબરો અનુસાર રિતેશ પહેલાંથી જ ઇચ્છતો હતો કે તે જેનિલિયા સાથે લગ્ન કરે, પણ તેના કુટુંબીજનો ઇચ્છતા હતા કે તે કોઈ તેમની કમ્યુનિટીની જ યુવતી સાથે લગ્ન કરે. જોકે રિતેશે તેમને મનાવ્યા હતા.