16 January, 2021 02:39 PM IST | Mumbai | Mid-day Correspondent
રિશી કપૂર
રિશી કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ને આ વર્ષે થિયેટર્સમાં રિલીઝ કરવાની મેકર્સની ઇચ્છા છે. ફિલ્મનું શૂટિંગ હજી બાકી છે, પરંતુ ફિલ્મના પ્રોડ્યુસરની ઇચ્છા છે કે ૪ સપ્ટેમ્બરે રિશી કપૂરના બર્થ-ડે પર આ ફિલ્મ રિલીઝ કરવામાં આવે. ફિલ્મને રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મના માધ્યમથી તેમને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવશે. એથી ફિલ્મના બાકી રહેલા રિશી કપૂરનાં ભાગનું શૂટિંગ પૂરું કરવા માટે પરેશ રાવલે હામી ભરી છે જે હિન્દી સિનેમામાં અતુલનીય નિર્ણય છે. ફિલ્મની સ્ટોરી ૬૦ વર્ષની વ્યક્તિની આસપાસ ફરે છે. આ એક હલ્કી-ફૂલકી ફિલ્મ છે. આ વર્ષે રિલીઝ કરવાની યોજના સાથે ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવશે.