15 March, 2020 01:35 PM IST | Mumbai Desk
સંદીપ ઔર પિંકી ફરાર
કોરોના વાઇરસને કારણે યશ રાજ ફિલ્મ્સની ‘સંદીપ ઔર પિંકી ફરાર’ની રિલીઝની તારીખને પાછળ ઠેલવામાં આવી છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા લીડ રોલમાં જોવા મળવાની છે. ફિલ્મને દિબાકર બૅનરજીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ૨૦ માર્ચે રિલીઝ થવાની હતી. આ અગાઉ ‘સૂર્યવંશી’ની સાથે હૉલીવુડની પણ ઘણી ફિલ્મો પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. રણવીર સિંહની ‘83’ને પણ પોસ્ટપોન્ડ કરવાની ચર્ચા ચાલી રહી છે. ‘સંદીપ ઔર પિંકી ફરાર’ની રિલીઝને પોસ્ટપોન્ડ કરવાની માહિતી ટ્વિટર પર આપતાં પરિણીતી ચોપડાએ ટ્વીટ કર્યું હતું કે ‘દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસને જોતાં અમે નક્કી કર્યું છે કે ડિરેક્ટર દિબાકર બૅનરજીની ‘સંદીપ ઔર પિંકી ફરાર’ની રિલીઝને પોસ્ટપોન્ડ કરવામાં આવે. હાલના સમયમાં દરેક વ્યક્તિની હેલ્થ અને સુરક્ષા ખૂબ અગત્યની છે.’