29 June, 2020 06:49 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
રતન રાજપૂત
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઇમાં આવેલા બાન્દ્રાવાળા ઘરમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. સુશાંતે આ પગલું કેમ ઉઠાવ્યું આ વિશે કોઇ માહિતી નથી. કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન ફિલ્મ જગતમાંથી કેટલાક લોકો હવે સુશાંતના ઘરે તેમના પિતા અને પરિવારને મળવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ ટેલીવિઝન અભિનેત્રી રતન રાજપૂત સુશાંતના ઘરે તેમના પિતાને મળવા પહોંચી.
રતને આ વાતની માહિતી પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. રતને પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શૅર કર્યો છે. રતન સોશિયલ મીડિયા પર આમ પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના વીડિયોઝ શૅર કરતી હોય છે. હવે તાજેતરમાં જ તેણે એક વીડિયો શૅર કર્યો છે. આમાં તે જણાવે છે કે તે સુશાંતના પિતેન મળવા તેમના ઘરે ગઈ હતી.
રતને જે વીડિયો શૅર કર્યો છે તે સાત મિનિટનો વીડિયો છે. આમાં તેણે સુશાંતના પિતાને મળવાનો પોતાનો અનુભવ શૅર કર્યો છે. વીડિયોમાં રતને જણાવ્યું કે તે સુશાંતના ઘરે ગઈ હતી. ત્યાં જઈને તે તેમના પિતાને અને તેમની બહેનને મળી. તેણે એ પણ જણાવ્યું કે સુશાંતના પિતા ખૂબ જ જુદાં છે. રતન પણ તેમને જોઇને ચોંકી ગઈ. રતનને સુશાંતના પિતા ખૂબ જ શાંત અને સકારાત્મક લાગ્યા. રતને જણાવ્યું કે તે ત્યાં ગઈ તો સુશાંતના પરિવારને હિમ્મત આપવા માટે હતી. પણ તેને પોતાને જ તેમના ઘરે જઈને હિમ્મત મળી છે.
સાથે જ વીડિયોમાં રતને એ પણ કહ્યું કે તે સુશાંતના પરિવારને મળવા આવતી રહેશે. આ વીડિયો સાથે કૅપ્શનમાં રતને લખ્યું છે કે, "હવે મારું જીવન નોર્મલ થઈ રહ્યું છે. થેન્કયું અંકલ(સુશાંતના પિતા) હું ફક્ત પ્રાર્થના કરી રહી છું અને ન્યાયનું કામ ભગવાન પર છોડું છું. તે બધું જ જોઇ રહ્યો છે."
નોંધનીય છે કે રતન રાજપૂત પણ પટનાની રહેવાસી છે. આ સમયે તે પટનામાં જ પોતાના ઘરે છે, સુશાંતના નિધન બાદ રતને એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે તેની માતા પણ ઘણાં સમયથી ચિંતિત છે. સાથે જ તે રતનને પણ ફરી મુંબઇ જવાની ના પાડી રહી છે.