રફ્તાર તેના 6 વર્ષના લગ્નજીવનનો લાવશે અંત, કોમલ બોહરાને આપશે છૂટાછેડા

24 June, 2022 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રફ્તાર અને કોમલે પ્રેમ લગ્ન કર્યા હતા

રફતાર

રૅપર રફ્તાર સિંહ તેની જબરદસ્ત રૅપિંગ અને અનોખી શૈલી માટે જાણીતો છે. ઘણા વર્ષોથી રફ્તાર અને તેની પત્ની કોમલ વોહરા એકબીજાથી અલગ રહેતાં હતાં. હવે રૅપર તેની પત્ની કોમલથી સત્તાવાર રીતે અલગ થવા તૈયાર છે. તેમણે 2020 માં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ મહામારીને કારણે તેમાં વિલંબ થયો હતો. બંનેએ વર્ષ 2016માં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા.

રફ્તાર અને કોમલે પ્રેમ લગ્ન કર્યા હતા. વર્ષ 2011માં બંને પહેલી નજરમાં પ્રેમમાં પડ્યા હતા. પોતાને સાબિત કર્યા પછી, રફ્તારે લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના છ વર્ષ પછી, તેઓએ તેમના લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

`હિન્દુસ્તાન ટાઈમ્સ`ના તાજેતરના અહેવાલ મુજબ, કપલની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો કે રફ્તાર અને કોમલ તેમના જીવનમાં આગળ વધી ગયા છે. સૂત્રએ એ પણ જાહેર કર્યું કે મહામારીને કારણે તેમના છૂટાછેડા મોકૂફ રાખવામાં આવ્યા હતા અને તેઓ 6 ઓક્ટોબર, 2022 ના રોજ છૂટાછેડાના કાગળો પર સહી કરશે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રફ્તાર અને કોમલના લગ્નમાં સમસ્યાઓ થોડા દિવસો સુધી સાથે રહ્યા બાદ શરૂ થઈ હતી. સૂત્રએ એ પણ શેર કર્યું કે રફ્તાર અને કોમલ પોતપોતાના પરિવારો સાથે એક સુંદર બંધન ધરાવે છે. સૂત્રએ વધુમાં જણાવ્યું કે ફક્ત નજીકના લોકો જ તેના વિશે જાણે છે.

એકબીજાને અનફોલો કર્યા

જ્યારે હિન્દુસ્તાન ટાઈમ્સે કોમલ વોહરા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જે ટીવી કલાકારો કરણ અને કુણાલ વોહરાની બહેન છે, ત્યારે તેમણે આ સમાચારની પુષ્ટિ કરી. જોકે, તેમણે આ મામલે કોઈ ટિપ્પણી કરી ન હતી. બીજી તરફ, રફ્તારે તેનો જવાબ આપ્યો ન હતો. હાલમાં, રફ્તાર અને કોમલે પોતપોતાના ઇન્સ્ટા હેન્ડલથી એકબીજાને અનફોલો કરી દીધા છે.

entertainment news bollywood news raftaar