18 April, 2019 03:58 PM IST |
અજય દેવગન (ફાઇલ ફોટો)
અજય દેવગનની ફિલ્મ 'દે દે પ્યાર દે'માં #MeTooના આલોકનાથની હાજરીની બાબત ચર્ચાનો વિષય બની રહી છે. અભિનેત્રી તનુશ્રી દત્તા અને રાઇટર વિનતા નંદા, અજય દેવગનની ફિલ્મમાં આલોકનાથની કાસ્ટિંગને લીધે નારાજ છે. હવે આ મામલે કંગના રણૌટની બહેન રંગોલી ચંદેલ પણ સામેલ થઈ ગઈ છે. રંગોલીએ અજય દેવગનને આલોકનાથ સાથે કામ કરવા પર આક્રોશ ઠાલવ્યો.
પુરૂષોના કારણે ભારત વિશ્વમાં ડાઘ સમાન બન્યો છે : રંગોલી
રંગોલીએ તનુશ્રી દત્તાનો ઓપન લેટર શેર કરતાં ટ્વીટ કર્યું અને લખ્યું છે કે, "આ પુરુષોને લીધે આપણો દેશ વિશ્વના નકશા પર ડાઘ છે. જ્યાં સુધી મહિલાઓ વિરુદ્ધ અપરાધની વાત છે ત્યારે બોલીવુડ મને તમારા પર શરમ આવે છે કે તમે મીટૂ અભિયાનનું મજાક ઉડાડો છો."
બધાં જ ચુપ રહીને આનંદ માણી રહ્યા છે : રંગોલી
બીજા ટ્વીટમાં રંગોલીએ લખ્યું, "આ લોકો સત્તા અને પૈસાના નશામાં છે. તે પોતાના કો-સ્ટાર ઉત્પીડકોનું સમર્થન કરીને આ આંદોલન અને પીડિતાઓનું મજાક ઉડાડે છે. સાથે જ બેશરમ થઇને પોતાનું કામ પણ બચાવી લે છે. તે બધાં જ જે ચુપ રહીને આનંદ માણી રહ્યા છે, કારણ કે આ અન્ય કોઇની દીકરી સાથે થઈ રહ્યું છે. તો તે એ પણ જાણી લે કે દુનિયા ગોળ છે અને બધું કોઇક ને કોઇક રીતે પાછું આવે જ છે."
આ પણ વાંચો : કંગના-આલિયાની લડાઈમાં કૂદ્યા રણદીપ હૂડા-સોની રાઝદાન, કંગનાની બહેને ઝાટક્યા
તનુશ્રી દત્તાએ પણ અજય દેવગન અને ફિલ્મ 'દે દે પ્યાર દે'ના મેકર્સની ખૂબ ઝાટકણી કરી. ઓપન લેટરમાં તનુશ્રીએ લખ્યું, "ફિલ્મજગત ખોટાં, દેખાડો કરનારાઓ અને દંભીઓથી ભરેલું છે. આલોકનાથ પર ગંભીર આરોપ પછી પણ આલોકનાથના સીન્સ બીજીવાર રી-શૂટ થઇ શકતા હતા. પણ નહીં, તેમણે રેપિસ્ટ આલોકનાથને ફિલ્મનો હિસ્સો બનાવી રાખ્યો છે."