02 May, 2015 05:51 AM IST |
આ ફિલ્મ એક પ્રણયત્રિકોણ પર આધારિત છે જેમાં બે હીરો એક જ હિરોઇનના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ માટે આદિત્ય રણબીર કપૂર અને વરુણ ધવનને પસંદ કરવા માગે છે. રણબીરે અગાઉ યશરાજ બૅનર સાથે ‘બચના અય હસીનોં’ અને ‘રૉકેટ સિંહ - સેલ્સમૅન ઑફ ધ યર’ કરી હતી, જ્યારે વરુણે હજી સુધી યશરાજ ફિલ્મ્સ સાથે એક પણ ફિલ્મ નથી કરી. રણબીર અને વરુણ સાથે હજી વાતચીત ચાલી રહી છે. જો બન્ને કલાકારો ફિલ્મ માટે હા પાડશે તો ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષે શરૂ કરવામાં આવશે.