રણબીર કપૂર હવે બાળકો જેવી ફિલ્મો નહીં કરે

03 July, 2017 06:47 AM IST  | 

રણબીર કપૂર હવે બાળકો જેવી ફિલ્મો નહીં કરે

રણબીરની ‘જગ્ગા જાસૂસ’ ૧૪ જુલાઈએ રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન તેણે કહ્યું હતું કે હું હવે બાળકો જેવી ફિલ્મો નહીં કરું. એ વિશે તેણે કહ્યું હતું કે ‘હું આવતા વર્ષે ૩૫ વર્ષનો થઈ રહ્યો છું. હવે હું ભવિષ્યમાં મારી ઉંમરને લગતાં પાત્રો જ કરવા માગું છું.’

રણબીરે જ્યારે સંજય દત્તની બાયોપિક સાઇન કરી હતી ત્યારે તે ફિલ્મ માટે સંજય દત્તને મળ્યો હતો. એ સમયે સંજય દત્તે તેને કહ્યું હતું કે તારે હવે ચૉકલેટ-બૉયની ઇમેજમાંથી બહાર આવીને યોગ્ય પાત્રો ભજવવાં જોઈએ જેથી તું દર્શકો સાથે વધુ કનેક્ટ થઈ શકે. એટલે સંજય દત્તની સલાહથી રણબીરે હવે બાળકો જેવી ફિલ્મો નહીં કરવાનો નિર્ણય લીધો હોય તો નવાઈ નહીં.