રામ કપૂરના પિતાનું થયું નિધન

16 April, 2021 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમૂલે પણ શ્રદ્ધાંજલિ આપી હોવાથી તેણે આભાર વ્યક્ત કર્યો છે

રામ કપૂરના પિતાને અમૂલે આપેલી શ્રદ્ધાંજલિ

રામ કપૂરના પિતા અનિલ કપૂરના નિધન બાદ અમૂલે જે પ્રકારે તેમને શ્રદ્ધાંજલિ આપી છે એના પર તેણે આભાર માન્યો છે. રામ કપૂરના પિતા એક ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીના સીઈઓ પણ રહી ચૂક્યા છે. તેમણે જ ‘અમૂલઃ ધ ટેસ્ટ ઑફ ઇન્ડિયા’ની ટૅગલાઇન આપી હતી. એ ટૅગલાઇન આજે પણ લોકોમાં ફેમસ છે. ૧૯૯૮માં રામ કપૂરના પિતાએ અમૂલ સાથેની જર્ની શરૂ કરી હતી. તેમનું નિધન સોમવારે થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપતાં અમૂલે હોર્ડિંગ લગાવ્યું હતું. એ હોર્ડિંગને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રામે કૅપ્શન આપી હતી કે ‘અમૂલે જે પ્રકારે મારા પિતાને શ્રદ્ધાંજલિ આપી છે એને જોઈને હું નિઃશબ્દ બની ગયો છું. ડૅડી, તમે ખરા લેજન્ડ છો. તમારી ખૂબ યાદ આવશે. રેસ્ટ ઇન પીસ.’

entertainment news bollywood bollywood news ram kapoor amul