રામ ગોપાલ વર્મા કેમ બોની કપૂરને માફ નહીં કરે?

01 December, 2015 06:51 AM IST  | 

રામ ગોપાલ વર્મા કેમ બોની કપૂરને માફ નહીં કરે?



રામ ગોપાલ વર્માને શ્રીદેવી પર ક્રશ હતો એ બધાને ખબર નહીં હોય, પરંતુ તેણે ઑટોબાયોગ્રાફી ‘ગન્સ ઍન્ડ થાઇસ’માં શ્રીદેવીના નામે એક ચૅપ્ટર લખ્યું છે; જેમાં તેણે તમામ માહિતીઓ આપી છે. આ ચૅપ્ટરમાં તેણે એ પણ જણાવ્યું છે કે તે કેમ બોની કપૂરને માફ નહીં કરે. આ વિશે વધુ જણાવતાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘આ ચૅપ્ટર એક લવ-લેટર છે. હું આ ખૂબ મોટો ખુલાસો કરી રહ્યો છું, પરંતુ એ મારી ફીલિંગ્સ હતી. દરેકને કોઈ ને કોઈ વ્યક્તિ પર ક્રશ હોય છે પછી તે સેલિબ્રિટી હોય કે સામાન્ય વ્યક્તિ. તમે આ ફીલિંગની ખૂબ જ મજા માણો છો અને એ એક પ્રકારના ડ્રગ્સ જેવી જ હોય છે. બોની કપૂરના રસોડામાં શ્રીદેવીને ચા બનાવતી જોઈ હું ખૂબ જ નિરાશ થયો હતો. હું તેમને કદી માફ કરી શકીશ નહીં, કારણ કે તેમણે સ્વર્ગમાંથી એક અપ્સરાને સીધી તેમના ઘરના કિચનમાં લાવી દીધી હતી.’