pk રિલીઝ થયા પછી રાજકુમાર હીરાણીને કઈ વાતની શાંતિ થશે?

17 December, 2014 06:01 AM IST  | 

pk રિલીઝ થયા પછી રાજકુમાર હીરાણીને કઈ વાતની શાંતિ થશે?




રશ્મિન શાહ

રાજકુમાર હીરાણીએ કહ્યું હતું કે ‘ત્રણસો કરોડનો આ સવાલ હું છેલ્લા એક મહિનામાં ત્રણસો વખત સાંભળી ચૂક્યો છું. બહુ થાક લાગે છે આ સવાલનો અને ગુસ્સો પણ આવે છે.’

અગાઉની ત્રણ હિટ ફિલ્મના ટ્રૅક-રેકૉર્ડને કારણે સ્વાભાવિક રીતે આ વખતે બૉલીવુડ રાજકુમાર હીરાણી પાસેથી વધુ મોટી એક હિટ ફિલ્મની અપેક્ષા રાખે છે, જેનું પ્રેશર પણ રાજકુમારને જબરદસ્ત છે. રાજકુમારે હસતાં-હસતાં સ્વીકાર્યું હતું કે પંદર દિવસથી રાતે ઊંઘ પણ નથી આવતી.

pkની ટિકિટના ભાવ નહીં વધે

સામાન્ય રીતે મોટા સ્ટારની ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે ટિકિટના ભાવ વધારવાનો એક વણલખ્યો નિયમ બની ગયો છે, પણ શુક્રવારે રિલીઝ થતી આમિર ખાનની ‘pk’ની ટિકિટની પ્રાઇસમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મ બધા માટે હોવી જોઈએ અને બધા એ જોઈ શકે એ માટે એના ભાવ વધવા ન જોઈએ એવા હેતુથી પ્રોડ્યુસર અને આખી ટીમે આ નિર્ણય લીધો છે.